Thursday, March 12, 2015

Wednesday, March 4, 2015












કોઇનો ઉત્સાહ વધારવો, તેને એનર્જેટિક બનાવવો, પડ્કારો જીલવા માટે તૈયાર કરવો એ એના પર કરેલો ખુબ મોટો ઉપકાર છે.બાળક વિવેકી, પ્રામાણિક અને પરિશ્રમી બને તે માટે મા-બાપ પ્રયત્નશીલ હોય છે.પરંતુ થાય છે ઉલટુ,બાળક અપ્રામાણિક ,અવિવેકી અને આળસુ બની જાય છે.પોજીટીવ એનર્જી પેદા કરનારા વિચારો,પુસ્તકો,મિત્રો, સજ્જ્નો વગેરેનો સંગ કરાવવાનું આપણે ચૂકી જઇએ છીએ.અને જાણે અજાણે નકારાત્મકતા તરફ દોરી જઇએ છીએ.ખબર પડે છે ત્યારે ઘણુ મોડુ થઇ ગયુ હોયછે.......




Saturday, February 21, 2015




પ્રેમ એટલે હું નહીં
પ્રેમ એટલે તું ય નહીં
પ્રેમ એટલે-
હુંથી તુંસુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં
પ્રેમ એટલે રાધા જ નહીં
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ





Saturday, January 31, 2015


25Jan.2015 , JAYHIND, Daily,










Monday, January 19, 2015

 જયહિન્દ દૈનિક ૧૮ જાન્યુ.૨૦૧૫.........




Friday, January 2, 2015

રજાઇ (ધાબળો)................ 
ઠંડીના દિવસોમાં રજાઇ ઓઢીને પડી રહેવાનુ કોને ન ગમે? રજાઇની હૂંફ આનંદ આપનારી,ખુશીથી તરબોળ કરનારી હોય છે.? રજાઇની હૂંફને સુખની કક્ષા સુધી લઇ જનારા સદભાગીઓ જ આ મોજ ને માણી શકે.! 
બે મળેલાજીવ વચ્ચેનું અંતર કેટલું? આ મળેલાજીવ હજારો કિલોમીટર એકબીજાથી દૂર રહેતાં હોય તો પણ બેય વચ્ચે કોઇ અંતર નથી હોતુ. જ્યારે એક જ રજાઇમા સુતેલા બે જણ વચ્ચે જોજનો જેટલુ અંતર હોઇ શકે.! આ અંતર ઘટાડવા માટે કોઇ મેટ્રો ટ્રેન કામ નઇ લાગતી. કોઇ હવાઇ જહાજ બે જણ વચ્ચેનું અંતરઘટાડી શકે નહી. ગાડી, બંગલો,પૈસો, ને જાયદાદ બે જીવના મન મેળવી નહિ શકે. બે મળેલાજીવ આ ધરતી પરના સુખી જણ છે. જો તમે બે મળેલાજીવમાના એક છો તો, તમે આ જગતની ધનવાન વ્યક્તિ છો.તમારાથી વધુ નસીબદાર બીજુ કોઇ નથી.....................!!!!ડો. સંતોષ દેવકર

Thursday, January 1, 2015

Dt.28/12/2014...sunday....JAIHIND...Daily